ઊદ્યોગો માટેના માળખાકીય સવલતોના ૧૬ પ્રોજેકટ

ઊદ્યોગ રાજ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઔદ્યોગિક માળખાકીય પ્રોજેકટની મંજૂરી માટેની સમિતિએ લીધેલા નિર્ણયો

મંજૂર : રાજ્ય સરકારની રૂ. ૧૮૪.ર૭ કરોડની સહાય અપાશે
ટિપીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં ૭ પ્રોજેકટ અને ૬ સેન્ટર ફોર એકસેલન્સ પ્રોજકટને પણ મંજૂરી

 ઊદ્યોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ઊદ્યોગો માટેના આંતરમાળખાકીય પ્રોજેકટની અમલીકરણ સમિતિની મળેલી બેઠકમાં ગુજરાતમાં ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓની સુધારણા માટેના રૂ. ૪૮૦.૭ર કરોડના ૧૬ પ્રોજેકટ મંજૂર કર્યા છે અને તે માટે ૧૮૪.ર૭ કરોડની રકમ રાજ્ય સરકારની મંજૂર કરી છે.

 આ સમિતિએ ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં સહાયની યોજના અંતર્ગત જી.આઇ.ડી.સી.ના ૭ પ્રોજેકટસ મંજૂર કર્યા છે જેમાં (૧) આરંભડા (ર) અંજાર (૩) મહેસાણાર (૪) દહેજ (પ) છત્રાલ (૬) ધોરાજી (વેગડી) (૭) પાંડેસરા જી.આઇ.ડી.સી.માં ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન કરાશે. આ ઉપરાંત મચ્છુ નદી ઉપરના પૂલનું અપગ્રેડેશન, જી.આઇ.ડી.સી. સાણંદમાં છારોડી સાણંદનો ફોરલેન માર્ગ અને સચીનમાં રેલ્વે ઓવરબ્રીજના ત્રણ પ્રોજેકટ પણ મંજૂર કર્યા છે.

 શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે ઊદ્યોગો, માળખાકીય સુવિધાઓ, ઊદ્યોગ સાહસિકતા અને ઔદ્યોગિક વિકાસમાં ટેકનોલોજી માટેના ક્ષેત્રોમાં રાજ્ય સરકારની પ્રોજેકટ સહાયની યોજના અંતર્ગત ૬ જેટલા સેન્ટર ઓફ એકસલન્સના પ્રોજેકટ મંજૂર કર્યા છે જેમાં (૧) CEPT યુનિવર્સિટી દ્વારા માળખાકીય સુવિધાના પ્રોજેકટમાં ૯.૮૯ કરોડ જ્યારે CII દ્વારા (એ) નેનો ટેકનોલોજી અને (બી) નોલેજ એપ્લીકેશન સેન્ટર બંને સેન્ટર ઓફ એકસલન્સ માટે ૧૦૧૦ કરોડ. IIT ગાંધીનગરના બાયો મેડીકલ એન્જીનયરીંગ સેન્ટર ઓફ એકસલન્સ માટે ૧૦ કરોડ, INCREATE સેન્ટર ઓફ એકસલન્સમાં એન્ટરપ્રેન્યોરશીપ અને ટેકનોલોજી માટે ૧૦ કરોડ તેમજ અટીરામાં કંપોઝીટ ઇન ટેક્ષટાઇલ પ્રોજેકટના સેન્ટર ઓફ એકસલન્સ માટે રૂ. ૧૦ કરોડ મળી એકંદરે રૂા. પ૯.૮૯ કરોડના સેન્ટર ઓફ એકસલન્સ પ્રોજેકટ મંજૂર કરીને રાજ્ય સરકારની સહાય મંજૂર કરી છે.


Write to Narendra Modi,
what you feel about this post

 


Comments (0)

Media List

ઊદ્યોગો માટેના માળખાકીય સવલતોના ૧૬ પ્રોજેકટ
આદ્યશકિત પીઠ અંબાજી માતાના ભકિતભાવપૂર્વક પૂજનઅર્ચન કરતા મુખ્યમંત્રીશ્રી
શિક્ષણના કર્મયોગીઓ ટેકનોસેવી બને :મુખ્યમંત્રીશ્રી
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
કેનેડાના સાંસદોનું ડેલીગેશન ગુજરાતના વિકાસથી પ્રભાવિત
ગુુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક
દાઉદી વહોરા સમાજના ધર્મગુરૂ ર્ડા. સૈયદના સાહેબના સુપુત્રના અવસાન અંગે મુખ્યમંત્રીશ્રીની શ્રધ્ધાંજલિ
સામાજિકઆર્થિક અને જાતિ આધારિત વસતિ ગણતરીનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
ગુજરાત જેવો વિકાસ કરવાની ત્રેવડ નથી તો ગુજરાતના વિકાસમાં રોડા કેમ નાંખો છો?
ગેપીલના ચેરમેન ગિરીશ લુથરા મુખ્યમંત્રી સાથે ચીનના પ્રવાસમાં ગયા જ નથી..!!