મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ગુજરાતના નાગરિકોને શુભકામના પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત કૃષ્ણભકત છે. ભગવાન શ્રીકૃષ્ણની વિશ્રાંતિકાળની ભૂમિ ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર પ્રકૃતિની સાથે પ્રેમનો સંબંધ સજીવન કરવો જનઉત્સવ છે. આતતાયીઓના દમન અને અન્યાયનો પ્રતિકાર કરવાનું કૃષ્ણ જીવનદર્શન આજે પણ પ્રસ્તુત છે એમ તેમણે જણાવ્યું છે.